લાગણીનો દરિયો.. પ્રકૃતિ માટે.. (Part :- 1)
આજે એક એવું વાક્ય બન્યું કે મારા મનમાંથી આતંકવાદીઓ નો ડર નીકળી ગયો.. જો આપણે સાચી લાગણી નથી સમજતા તો આતંકવાદીઓ જે કૃત્ય કરે છે તે જ કૃત્યો કરનારા આપણી આસપાસ હોયજ છે.. વાત કૈક એમ બની કે હું અમારા ગામથી 2km દૂર આવેલ એક ગામે, ખેતરના ગાડામાર્ગના રસ્તે થી જઇ રહ્યો હતો. અડધે રસ્તે પરશુરામ કાકાનું ખેતર આવે.ત્યાં હું પોહચ્યો અને જોયુ તો કાકા એકલા એકલા ખેતરના શેઢે કઈક જાડીઝાખરા સળગાવી રહ્યા હતા. હું થોડી વાર ત્યાં ઉભો રહ્યો. થાક્યો'તો એટલે પાણીબાણી તેની પાસે થોડું પાણી ભરેલ હતું તે પીધું ને થોડી વાર ત્યાં ઉભો રહ્યો.. મને એક વિચાર થયો કે પરશુરામ કાકાને કામ, આ ખેતરમાં કરવું છે.. તો ખેતરના શેઢા પાળા માં શું હેરાન થાય છે?? પછી મેં કાકાને કહ્યું કે "કાકા, ઉનાળો આવ્યો છે એટલે તમારે હવે કઈ કામ નથી રહ્યું લાગતું.. આમ ખોટી મેહનત કરો છો..!!" તેઓ કહે "ભાઈ.. હું કઈ ખોટી મેહનત નથી કરતો.."; "તો શા માટે તમારા ખેતરની આ કુદરતી વાડ ને સળગાવી રહ્યા છો.. એનો કઈ ફાયદો ખરો!?" તેમને જવાબ આપતા કહ્યું કે, આ બધી નકામી વનસ્પતિ ને ઘાસ છે.. ઉનાળામાં શુકાય જાય એટલે તેના બી ખરી...